જૂનાગઢ એસ.ટી.બસ સ્ટેશન થી ભવનાથ સુધી કાયમી બસ સેવા શરૂ : ટીકીટ દર રૂ.13 રહેશે
જૂનાગઢ એસ.ટી.બસ સ્ટેશન થી ભવનાથ સુધી કાયમી બસ સેવા શરૂ : ટીકીટ દર રૂ.13 રહેશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શહેર સહિત ભવનાથ વિસ્તારમાં તહેવારો દરમ્યાન પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળે છે, ઉપરાંત ગિરનાર રોપ-વેની શરૂઆત થતાં પ્રવાસીઓની સંખ્યામાં હજુ વધારો થશે, ત્યારે જૂનાગઢ એસ.ટી.ડિવીઝનએ જૂનાગઢ બસ સ્ટેશન થી ભવનાથ સુધીની બસ સેવા શરૂ કરી છે. જેનો રૂટ બસ સ્ટેશન થી ગાંધીચોક, રેલ્વે સ્ટેશન, મજેવડી દરવાજા, ગિરનાર દરવાજા, દામોદર કુંડ થઇ ભવનાથ પહોંચવાનો રહેશે. બસ સ્ટેન્ડ બાદ વચ્ચેના કોઇપણ સ્ટોપ પરથી પ્રવાસીઓ બસમાં બેસી શકશે. બસ સ્ટેન્ડ થી ભવનાથ સુધીની ટિકીટ માત્ર ₹13 રાખવામાં આવી છે. આ બસ દિવસ દરમિયાન કુલ 08 ટ્રીપ મારશે.
જેનું ટાઇમ ટેબલ આ મુજબનું રહેશે.
.
બસ સ્ટેશન થી ઉપડશે;
સવારે 7:00, 8:20, 9:40, 11:00,
બપોરે 12:20, 02:00, 03:20 અને 04:40
.
ભવનાથ થી ઉપડશે;
સવારે 7:40, 9:00, 10:20, 11:40
બપોરે 01:00, 02:40, 04:00 અને 5:30









