NAVSARI

નવસારી: આગામી તા.૨૭ એપ્રિલ સુધી જિલ્લામાં “સ્વાગત સપ્તાહ” કાર્યક્રમ યોજાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી

નાગરિકોના પ્રશ્નોનું ગુણાત્મક રીતે નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકારનું વિશેષ આયોજન

નાગરિકોના પ્રશ્નોનું ગુણાત્મક રીતે નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકારનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા.૨૪ એપ્રિલ, ૨૦૦૩ના રોજ સ્વાગત કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. રાજ્યમાં સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થતાં “સ્વાગત સપ્તાહ” કાર્યક્રમ ઉજવણી કરવામાં આવશે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવે તે પ્રશ્નોનું ત્વરાથી હકારાત્મક રીતે  નિરાકરણ થાય તે માટે વિશેષ પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. મહત્વનું છે કે, આગામી તા.૨૭ એપ્રિલ, ૨૩ને ગુરુવારના રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત સ્વાગત કાર્યક્રમ વધુ સુદ્રઢ બને અને તેનો લાભ છેવાડાના નાગરિકોને અસરકારક રીતે મળી રહે તે માટે જિલ્લા કક્ષાએથી ગ્રામ્ય અને તાલુકા સ્વાગત કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવશે. નવસારી જિલ્લામાં યોજાનાર સ્વાગત સપ્તાહ કાર્યક્રમના આયોજન અર્થે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે.    

[wptube id="1252022"]
Back to top button