BANASKANTHAGUJARATPALANPUR

આર આર મહેતા કૉલેજ ઑફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કૉલેજ ઑફ કોમર્સે પાલનપુર ખાતે વકતુત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

1 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર દ્વારા આજરોજ તારીખ 1 સપ્ટેમ્બર 23 ને શુક્રવાર બપોરે 2:15 કલાકે G20 અંતર્ગત ડિજિટલ અને સોશિયલ મીડિયા અંગે જાગૃતિ ફેલાય તે માટે એક વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. વકૃત્વ સ્પર્ધા નો વિષય હતો “સોશિયલ મીડિયા ના ફાયદા અને ગેરફાયદા” જેમાં 31 થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન આચાર્ય શ્રી ડો. વાય. બી. ડબગર સાહેબના માર્ગદર્શન નીચે G 20ના કન્વીનર શ્રી ડો.એમ. આર. સોલંકી એ કર્યું હતું. વક્તુત્વ સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની જવાબદારી ડો. અમીબેન પટેલ અને પ્રો. હેતલબેન રાઠોડ એ સંભાળી હતી. ડો. જ્યોતિન્દ્ર માયાવંશી, અને રસાયણશાસ્ત્ર વિભાગનો સ્ટાફ કાર્યક્રમમાં હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા .

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button