DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં આફતો નો ભોગ બનેલા બાળકો માટે સામાજિક સદભાવના હોવી જરૂરી છે નરેન્દ્ર સોની પ્રમુખ બાળ કલ્યાણ સમિતિ દાહોદ 

તા.૨૩.૧૧.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં આફતો નો ભોગ બનેલા બાળકો માટે સામાજિક સદભાવના હોવી જરૂરી છે: નરેન્દ્ર સોની, પ્રમુખ બાળ કલ્યાણ સમિતિ, દાહોદ

વિગત: ભારત સરકાર દ્વારા દેશ માં સાંપ્રદાયિક સદભાવના નો પ્રચાર પ્રસાર થાય અને લોકો માં જાગૃતિ આવે તે હેતુ થી તા. 19 – 25 નવેમ્બર દરમિયાન સપ્તાહ ની ઉજવણી અંગે આહ્વાન કરવામા આવેલ. જેનાં અનુસંધાને આજ રોજ દાહોદ ચિલ્ડ્રન હોમ ખાતે કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવેલ.બાળ કલ્યાણ સમિતિ નાં ચેરમેને શ્રી નરેન્દ્ર સોની સાહેબ દ્વારા સાંપ્રદાયિક સૌહાર્દ વિશે વકતવ્ય કરેલ. સમાજ સુરક્ષા અધિકારી આર.પી. ખાટા સાહેબ દ્વારા તેઓના વકતવ્ય માં જણાવેલ કે આજ નાં ડિજીટલ યુગમાં સમાજ નાં તમામ સંપ્રદાય ના નાગરિકો માં એકતા અને અખંડિતતા ની જરૂરિયાત છે.બાળ કલ્યાણ સમિતિ નાં સભ્ય લાલા ભાઈ મકવાણા સાહેબ દ્વારા કટોકટી નાં સમય ની પરિસ્થિતિ ને યાદ કરી વક્તવ્ય કરેલ તેમજ શ્રી લાલા ભાઈ સુવર સાહેબ દ્વારા બાળકો નાં હિત માં યથા શક્તિ ફાળો આપવા અપીલ કરવામાં આવેલ.જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ તાવિયાડ સાહેબ દ્વારા 18 વર્ષ થી ઓછી ઉંમર નાં કાળજી અને રક્ષણ ની જરૂરિયાત વાળા બાળકો ને આપણે કેવી રીતે મદદ રૂપ થઈ શકીએ અને પોતાનું યોગદાન આપી શકીએ તેવું જણાવેલ. કાર્યક્ર્મ માં લીગલ કમ પ્રોબેશન ઓફીસર એ.જી. કુરેશી સાહેબ ઊપસ્થિત રહ્યા હતાં.કાર્યક્ર્મ ની આભાર વિધિ ચિલ્ડ્રન હોમ નાં અધિક્ષક શ્રી રાકેશ પ્રજાપતિ સાહેબ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્ર્મ ને સફળ બનાવવા માટે ચિલ્ડ્રન હોમ નાં સ્ટાફ મિત્રો એ ઉત્કૃષ્ઠ કામગીરી કરેલ

[wptube id="1252022"]
Back to top button