KALOL(Panchamahal)PANCHMAHAL

નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા કાલોલ ખાતે હીરાબા ને શ્રધ્ધાંજલી અર્પણ નો કાર્યક્રમ યોજ્યો

તારીખ ૧ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

માનનિય પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી જી ના માતુશ્રી હીરાબા ને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા કાલોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષી,પંચમહાલ જિલ્લા મહામંત્રી રમેશભાઈ પરમાર, જિલ્લા ઉપાધ્યક્ષ અતુલભાઈ પંડ્યા,રાજેશભાઈ પરમાર તથા અન્ય હોદ્દેદારો ભારતસિંહ, અમિતભાઈ શેઠ,મહિપતસિંહ, નરેન્દ્રસિંહ,છત્રસિંહ,રાજુભાઈ શાસ્ત્રી, કમલેશ ભાઈ પંડ્યા, મમતાબેન,કાલોલ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ડૉ.કિરણસિંહ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા ઉપરાંત કાલોલ નગર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા તથા શ્રધ્ધાંજલી,પુષ્પાંજલિ અર્પણ કરી પ્રાર્થના કરી હતી.

[wptube id="1252022"]
Back to top button