
22 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં તા-21 જૂન ના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. “યોગ ભગાવે રોગ” એ ઉક્તિને સાર્થક કરતા વ્યાયમ શિક્ષક શ્રી આર.વી. ચૌધરીએ વિદ્યાર્થીઓને તંદુરસ્ત જીવન માટે યોગની અનિવાર્યતા વિશે માહિતગાર કરીને વિદ્યાર્થીઓને હળવી કસરતો, વિવિધ પ્રાણાયમ, વિવિધ આસનો કરાવીને ઊર્જાવાન બનાવ્યા હતા. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહથી ભાગ લીધો હતો.આમ શાળાના આચાર્યશ્રી નના માર્ગચૌધરી ના દર્શન નીચે સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી સુચારુ આયોજન થયું હતું.
[wptube id="1252022"]