BANASKANTHAGUJARATPALANPUR

સમતા વિદ્યાવિહાર બાલમંદિર પાલનપુરમાં નાતાલ પર્વ પ્રસંગે શાળામાં રંગપૂરણી કરવામાં આવી

24 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર બાલમંદિરના સોપાન-1 અને સોપાન-2 ના બાળકોએ બાલમંદિરના શિક્ષક શ્રીમતી સુનિતાબેન અને સહાયક વિમળાબેનના માર્ગદર્શન હેઠળ નાતાલ પર્વની ઉજવણી અને રંગપૂરણી કરવામાં આવી.બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી, મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકી અને મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જે.સી.ઈલાસરીયા સાહેબે બાલમંદિરના બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષકોની આ સર્જનાત્મક પ્રવૃત્તિને બિરદાવવામાં આવી અને આ પ્રવૃત્તિમાં ભાગ લેનાર નાના બાળકોને પ્રોત્સાહિત કર્યા.

[wptube id="1252022"]
Back to top button