MORBIMORBI CITY / TALUKO

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા નવમો વિનામુલ્યે નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા નવમો વિનામુલ્યે નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો


લાયન્સ કલબ ઓફ મોરબી સિટી નાં ખજાનચી અને ચિત્રા હનુમાનજી ધૂન મંડળ નાં પ્રમુખશ્રી ટી.સી.
ફુલતરિયા તેમજ મનીશાબેન ત્રિભોવનભાઈ ફૂલતરીયા પરિવાર ના સહયોગથી લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી અને રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પીટલ નાં ઉપક્રમે વિના મુલ્યે મોતિયાના ઓપરેશન માટેનો કેમ્ય પીપળીયા ચાર રસ્તા, કેપી ટેક નોનવુવન ઈન્ડિયા પ્રા.લી. કમ્પની ખાતે યોજાયો , આ કેમ્પમાં કુલ ૧૩૩ દર્દીઓને ચેકપ કરવામાં આવ્યા અને તેમાંથી ૨૫ જેટલા લોકોને શ્રી રણછોડદાસજી હોસ્પિટલ, રાજકોટ ખાતે મોતિયાના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા અને ૩૩ જેટલા ઓર્થોપેડીક વિભાગમાં લોકોને તપાસતા જેમાંથી ૧૦ જેટલા લોકોને વધારાની સારવાર માટે મોરબી આયુષ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા..

આ કેમ્પમાં ઉપસ્થિતિ લાયન્સ કલબ ઈન્ટરનેશનલ (સૌરાષ્ટ્ર કચ્છ)નાં દ્વિતિય વાઈસ ડિષ્ટ્રિકટ ગવર્નર રમેશભાઈ રૂપાલાએ આ કેમ્પનાં દાતા લાયન ટી.સી. ફુલતરીયા પરિવારનો આભાર વ્યક્ત કરેલ સાથે તેમણે જણાવેલકે આ વિના મૂલ્યે નેત્ર યજ્ઞ કેમ્પ દર મહિનાની દશ તરીખે પીપળીયા,ચોકડી, ખાતે માળિયા તેમજ આમરણ ચોવીસીનાં છેવાડા નાં લોકો માટે આ સેવા કેમ્પ યોજાશે. તો આ કેમપનો વધુને વધુ લોકો લાભ લે તે માટે પ્રચાર પ્રસાર કરવા ઊપસ્થિત સર્વેને વિનંતી કરેલ આ કેમ્પમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટી નાં સેક્રેટરી લાયન કેશુંભાઈ દેત્રોજા, ખજાનચી ટી.સી. ફૂલતરિયા લાયન નાનજીભાઈ મોરડિયા, લાયન ભીખાભાઇ લોરિયા, લાયન એ.એસ. શુરાણી, લાયન મહાદેવભાઈ ચિખલિયા લાયન પ્રાણજીવનભાઈ રંગપરીયા, લાયન મણીલાલ કાવર લાયન મહાદેવભાઈ ચોખલિયા, લાયન રશ્મિકાબેન રૂપાલા લિયો બંશી રૂપાલા, લિયો વાસુ રૂપાલા વિગેરે મેમ્બરોએ હાજર રહી કેમ્પને સફળ બનાવવા પ્રયત્ન કરેલ તેવું પ્રમૂખ જગદીશભાઈ કાવરે જણાવેલ.

[wptube id="1252022"]
Back to top button