
વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.
ભુજ,તા-10 મે : ભુજ નજીક પાલારા વાડી વિસ્તારમાં પરિણીત મહીલાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શખ્સે જાણ કરી હતી કે, તા.૯,નાં રોજ સવારના આરસામાં પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પાલારા વાડી વિસ્તારમાં પોતાના ઘરની બહાર બાવળોની ઝાડીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી ભુજ બી ડિવિઝન પોલીસે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]









