BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ખાતે પત્રકાર વેલ્ફર ટ્રસ્ટ ની નવીન કારોબારીની રચના કરાઈ

21 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પ્રમુખ તરીકે ભાનુભાઇ જોશી અને મહામંત્રી પદે પ્રવિણ શ્રીમાળીની વરણી કરાઈ પાલનપુરમા પત્રકારિતાની સાથે રચનાત્મક અને સેવાકીય કાર્યો કરતા પત્રકારો ના સંગઠન પત્રકાર વેલ્ફર ટ્રસ્ટ ને એક વર્ષ પૂરી થતા સંગઠન ની વાર્ષિક સાધારણ સભામા મળી હતી જેમા આગામી વર્ષના નવીન હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામા આવી હતી. પાલનપુરમા પારિવારીક ભાવના સાથે સમાજમાં જવાબદાર પ્રહરી ની ભૂમિકા ભજવતા પત્રકારોના સંગઠન પત્રકાર વેલ્ફર ટ્રસ્ટ પાલનપુરનું એક વર્ષ યશસ્વી રીતે પૂર્ણ થતાં વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમા પ્રમુખ તરીકે ભાનુભાઇ જોષીની સતત બીજા વર્ષે પ્રમુખ તરીકે નિમણૂક કરવામા આવી હતી જ્યારે ઉપ પ્રમુખ પદે ગીરીશભાઈ ચૌહાણ,આશુતોષભાઈ બારોટ મહામંત્રી પ્રવીણભાઈ શ્રીમાળી,ખજાનચી ભગવાનભાઈ સોની,પ્રોજેક્ટ ચેરમેન નિલેશભાઈ પટેલ,રમેશભાઈ પટેલ સલાહકારરશ્મિકાંતમંડોરા,સચીનભાઈશેખલીયા,સલાહકાર,જગદીશભાઈ શ્રીમાળી,કાર્યાલય મંત્રી તરીકે રતનસિંહ ઠાકોરની સર્વાનુમતે વરણી કરાઈ હતી આ પ્રસંગે દીપક સોલંકી,સરફરાઝ નાગોરી,અયુબ પરમાર કનૈયાલાલ પરમાર સહિતના મિત્રો ઉપસ્થિતિ રહ્યા હતા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button