BANASKANTHAPALANPUR

અંબાજીમાં કોરોના ના RTPCR ટેસ્ટની કામગીરી શરુ કરવામાં આવી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને દાંતા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા કરાઈ કામગીરી

  1. 1 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા                               અંબાજીથી મહેન્દ્રભાઈ અગ્રવાલ ના જણાવ્યા અનુસાર હાલ તબક્કે જે રીતે કોરોના ની પાંચમી લહેર ની શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે રાજ્યભર સહીત દેશ ભર માં ફરી એક વાર કોરોના ના કેસ માં વૃદ્ધિ જોવા મળી રહી છે ત્યારે સાવચેતીના પગલાં રૂપે ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું હોય તેવી કામગીરી કરી રહ્યું છે, આવા સમય યાત્રાધામ અંબાજી માં પણ ચૈત્રી નવરાત્રી માં લાખો ની સંખ્યા માંશ્રધાળુઓ દર્શાનાર્થે ઉમટી પડ્યા હતા, ત્યારે અંબાજી પંથક માં કોરોના રોગ નું પગપેસારો ન થાય તેને લઈ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અંબાજી અને દાંતા તાલુકા આરોગ્ય વિભાગ ના ટીએચઓ ડો.નીશા ડાભી ના માર્ગ દર્શન હેઠળ સંયુક્ત ઉપક્રમે અંબાજી માં કોરોના ના RTPCR ટેસ્ટ ની વિનામૂલ્યે કામગીરી શરુ કરવામાં આવી છે આજે અંબાજી ખાતે RTPCR ટેસ્ટ ની હાથ ધરાયેલી કામગીરી માં 40 જેટલા વિવિધ લોકો ના સેમ્પલિંગ કરવામાં આવ્યા હતા જેના રિપોર્ટ આવવાના બાકી છે ત્યારે આરોગ્ય વિભાગ પણ લોકો ને સતર્ક રહેવા જાગૃત કરી રહ્યું છે ને ભીડભાડ થી બચવાની સાથે માસ્ક પહેરવાની પણ અપીલ કરવામાં આવી હતી અંબાજી માં આજે જે રીતે RTPCR ના ટેસ્ટ ની કામગીરી શરુ કરાઈ છે જે આવનારા સમય માં પણ સમયાંતરે ચાલુ રહેશે આ કામગીરી માં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીના તાલુકા પ્રમુખ મહેન્દ્ર અહ્રવાલ, આરોગ્ય વિભાગના ડો.મેહુલ તરાલ,(એમ.ઓ) ડો.વિશાલ મોદી,ગૌરવ પટેલ સીએચ ઓ,મલ્ટીપરપજ હેલ્થ વર્કર સહીત સુપરવાઈઝર ની ટીમ કામે લાગી હતી,

[wptube id="1252022"]
Back to top button