
૧૭ ઓગસ્ટ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
રાજકોટ જીલ્લાના ઉપલેટામાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ આજરોજ ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયો જેમાં શીલાનું સમર્પણ , પંચ પ્રતિજ્ઞા અને શહીદ વીરોના પરિવારજનોનું તેમજ નિવૃત્ત વીરોનું સન્માન કરી વીરો કા વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો પોલીસ બેન્ડ સાથે મિટ્ટી યાત્રા કાઢવામાં આવી તેમજ વૃક્ષારોપણ કરી રાષ્ટ્ર ધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કરવામાં આવ્યુ
તેમજ ઉપલેટા તાલુકાના વડાળી ગામના શાહિદ વીર મહેશભાઈ સાગઠિયા ના ધર્મપત્ની દ્રારા
જેમને ફૌજી જવાન દ્વારા સન્માન સાથે શહીદ સ્મારક સુધી લઈ જવામાં આવ્યા હતા અને શહીદ વીરના પત્નીએ શહીદોને સલામી આપતા હાજર સૌ કોઈ દ્રશ્ય જોઈ આંસુ રોકી શકયા ના હતા ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠનના હોદેદારો,તાલુકા પ્રમુખશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી મામલતદારશ્રી, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો,તમામ ગામોના સરપંચશ્રીઓ, ગ્રામજનો તેમજ સમગ્ર તાલુકા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવસિંહ પરમારે તેમની યાદીમાં જણાવ્યું હતું.