
વિજાપુર રણાસણ ગામે શિક્ષકો નુ ચિંતન શિબિર નવા વર્ષના કેલેન્ડર નું વિમોચન કરાયુ
ચિલ્ડ્રન યુનિવર્સિટીના નિયામક ટીએસ જોશી ઉપસ્થિત રહ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના રણાસણ ગામે તાલુકા શિક્ષક મંડળ નુ ચિંતન શિબિર તેમજ કર્મચારી મંડળ દ્વારા નવા વર્ષમાં બહાર પાડવામાં આવતા વાર્ષિક કેલેન્ડર નું વિમોચન કાર્યક્રમ પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ માટે કેન્દ્રીય સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અંગે દરેક ઉપસ્થિત શિક્ષકો ને માર્ગદર્શન અંગે ની શિબિર યોજાઈ હતી જેમાં પ્રાથમિક શિક્ષણ ની સાથે સાથે જીવન ઉપયોગ ના વ્યવહારો તેમજ કૌશલ્યવર્ધક જ્ઞાન મેળવી શકે તેવી પ્રત્યક્ષ પ્રવૃત્તિ ઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેમાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને તાલુકા માં આવેલ નગરપાલિકા તાલુકા પંચાયત પોસ્ટ ઓફીસ પોલીસ મથક ગ્રામ પંચાયત સહીત ની કચેરીઓ ની મુલાકાત કરાવી તેની કામગીરી વિશે સંપૂર્ણ માહિતી સ્થળ ઉપર જઈને માહિતગાર કરવામાં આવશે તેમજ વિવિધ વ્યવસાય લક્ષી ઉધોગો ને પ્રાધાન્ય મળે તે માટે પણ અને વિદ્યાર્થીઓ વધુ કૌશલ્યો કેળવે તે માટે નું માર્ગદર્શન શિક્ષકો દ્વારા પુરુ પાડવા માં આવશે તો સાથોસાથ શિક્ષકો ને નાણાં ધીરનાર મંડળી ના સુવર્ણ જયંતિ શિક્ષકો ની ડિરેક્ટરી તેમજ કેલેન્ડર નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચિલ્ડ્રન યુનિવર્સિટીના નિયામક ટીએસ જોશી તેમજ ધારાસભ્ય સીજે ચાવડા પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ કાન્તિ ભાઈ પટેલ શિક્ષણ સમિતિ ના ચેરમેન મીના બેન પટેલ ,આશિષ દવે ,કનુભાઈ ચૌધરી ,ડો વિવેક ચૌધરી, ડો ગૌરાંગ વ્યાસ સહિત શિક્ષક મીત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા





