વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઇ નજીક ગીરાધોધ ખાતે ફરવા આવેલ 19 સુરતી પ્રવાસીઓ ઉપર મોટા કડની મધમાખીઓએ હુમલો કરતા અફરા તફરી મચી…
પ્રાપ્ત વિગતો અનુસાર રાજયનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચોમાસાનાં આગમનની સાથે ધીરે ધીરે પ્રકૃતિ નવપલ્લવીત બની રહી છે.હાલમાં ડાંગ જિલ્લામાં પ્રકૃતિનો સ્વાદ માણવા દૂર દૂરથી પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે.ત્યારે આજરોજ ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ નજીક આવેલ ગીરાધોધ ખાતે ફરવા માટે સુરતથી પ્રવાસીઓ આવ્યા હતા.અહી સુરતી પ્રવાસીઓ વઘઇનાં ગીરાધોધનાં સ્થળે ફરી રહ્યા હતા.તે વેળાએ મોટા કદની (ભોવર)મધમાખીનું ઝુંડ છંછેડાઈને ફરવા આવેલ 19 પ્રવાસીઓમાં નીતિન મુકેશ રાણા,દીપ્તિ રિતેશ મેહતા, વર્ષ,ર્શ્રુત હિતેશ મેહતા,મનીષા મેહતા,ધર્મિષ્ઠા સતીશ રેશમ વાળા,દેવાંસ નીતિન રેશમ વાળા,જાનવી સટીસભાઈ રેશમ,અનિલ એફ.મેહતા,સ્વરા જયમિત મેહતા, ક્રિસ બીમલભાઈ દીવાન,ડિમ્પલ નીતિન રાણા,સતીશ ચંપકલાલ રેશમ વાળા, શ્રેયશા હીતેશ મેહતા,સુલશા અરવિંદ મેહતા,જયમીન અરવિંદ મેહતા,જયનીશ અરવિંદ મેહતા,આશય શેલેશ મેહતા,રિધમ જયમિત મેહતા,ભૂમિ જયમીન મેહતા તમામ.રે સુરતનાઓ પર તૂટી પડતા સ્થળ પર બૂમાબૂમની સાથે નાસ ભાગમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.ગીરાધોધ ખાતે મધમાખીઓએ 19 જેટલા પ્રવાસીઓને બાનમાં લઈ હુમલો કરી શરીરનાં ભાગોએ ડંખ મારતા પ્રવાસીઓની હાલત કફોડીજનક બની હતી.બાદમાં તુરંત જ મધમાખીઓનાં ડંખનો શિકાર બનેલ 19 ઇજાગ્રસ્ત પ્રવાસીઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની વઘઇ પી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.અહી બે પ્રવાસીઓની હાલત ગંભીર બનતા વધુ સારવારનાં અર્થે વલસાડ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.હાલમાં અહી મધમાખીઓને કોઈક ઈસમ દ્વારા ખલેલ પોહચાડી ઉડાડી હતી કે પછી આપમેળે છંછેડાઈને હુમલો કર્યો હતો જેનું ચોક્કસ કારણ જાણવા મળેલ નથી..








