GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાના નાગરિકોની આચારસંહિતાના ભંગને લગતી કુલ ૨૪૯ ફરિયાદોનું હકારાત્મક નિરાકરણ

તા.૨૫/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં તા.૨૫ એપ્રિલ સુધીમાં આચારસંહિતાના ભંગને લગતી ૨૪૯ ફરિયાદો મળી હતી.

રાજકોટ જિલ્લામાં સી-વિજિલમાં- ૨૧૯ ફરિયાદો, એમ.સી.સી. ફરિયાદ નિવારણ ટોલ ફ્રી નંબરમાં ૨૨ ફરિયાદો, મતદારયાદીમાંથી નામ કમી થઈ જવા બાબતે ૨ ફરિયાદો, ચૂંટણી કાર્ડ ન મળવા બાબતે પ ફરિયાદો તેમજ જૂની વિધાનસભામાંથી નામ કમી ન થવા બાબતે ૧ ફરિયાદ નોંધાયા બાદ તમામ ફરિયાદોનું તુરંત નિરાકરણ કરાયું હતુ, તેમ નોડલ ઓફિસર શ્રી એચ. કે. સ્વામીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button