DEVBHOOMI DWARKAKHAMBHALIYA

ખાનગી કંપની ન્યારા એનર્જી લિમિટેડ મા પેટા કોન્ટ્રાક્ટ દ્વારા દ્વારા ગેર વ્યાજબી ધોરણે નોકરીમાંથી છટણી કરવામાં આવી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે ખાનગી કંપની ન્યારા એનર્જી લિમિટેડ મા પેટા કોન્ટ્રાક્ટના નોકરી કરતા દિલિપસિંહ જાડેજા ને વિના કારણે નોકરીમાં થી છૂટા કરતા તેઓ દ્વારા લેબર અધિકારીને લેખિત ફરિયાદ કરી છે જેમાં તેમના જણાવ્યા અનુસાર નાયારા એનર્જી (પૂર્વે એસ્સાર ઓઇલ લી)_* કંપનીના જુદા જુદા પેટા કોન્ટ્રાક્ટ કંપનીમાં છેલ્લા 12 વર્ષથી કામ કરી રહયો હતા જેમાં

R.B.M. નામ કોન્ટ્રાકટર કંપનીમાં ત્રણ વર્ષથી રીગરની પોસ્ટ ઉપર રૂ.૧૫,૦૦૦/- અંકે રૂપિયા પંદર હજારના માસિક વેતન પર કામ કરતો હતા પણ નાયારા એનર્જી કંપનીના કોઈ નિયમ મુજબ (કે જે નિયમ અમોને આજદિન સુધી ખબર નથી તેમજ જણાવેલ પણ નથી) R.B.M ના ત્રણ વર્ષ પુરા થતા તેની જગ્યાએ વિશાલ એન્ટરપ્રાઇઝ નામની કોન્ટ્રાક્ટ કંપની આવતા તેમાં અમો અરજદારને ફરી કામ પર પરત લેવામાં ન આવ્યા પરંતુ અમોની સાથે કામ કરતા અન્ય તમામ જુના કામદારોને પરત લેવામાં આવ્યા હતા. જેથી અમોએ અમોને કંપની માથી છુટા કરવા માટેનું કારણ જાણવા પ્રયત્ન કરતા અમોને કોઈ પ્રત્યુતર મળેલ ન હતો. ઉપરાંત એક સર્વસામાન્ય નિયમ મુજબ અમોને છુટા કરતાં પહેલાં કોઈ પણ પ્રકારનું કારણ કે નોટિસ હજુ સુધી આપવામાં આવેલ નથી. અમોને ૪ મહીનાથી પણ વધુ સમયનો પગાર હજી સુધી આપવામાં આવ્યો નથી. જે શ્રમ કાયદાનું સીધું ઉલ્લંઘન છે. કંપનીનાં અધિકારીઓ દ્વારા “લોક સુનાવણી દરમિયાન રોજગારી આપવાની મોટી-મોટી વાતો કરતી હતી કંપની.

વધુમાં તેઓ નમ્ર વિનંતી કરી કે આ બાબતની સઘન તપાસ કરી અમોને છુટા કરવાનું ગેરવ્યાજબી ઠરાવીને તથા અમોનું બાકી નીકળતા વેતનની ચુકવણી કરવાનો તેમજ મને નોકરી પર પરત લેવાનો હુકમ કરવા નમ્ર અરજ કરી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button