સુરેન્દ્રનગર લોકસભા મધ્યસ્થ ભાજપ કાર્યાલય ખાતે મોદી કી ગેરંટી અભિયાન લોન્ચીગ અને પ્રેસ વાર્તા યોજાઈ હતી.

તા.06/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર લોકસભા મધ્યસ્થ કાર્યલય ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, કેન્દ્રીયમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણા લોકસભા સંયોજક નિલેશભાઈ શેઠ, જીલ્લા મહામંત્રી હાર્દિકભાઈ ટમાલીયા, ચોટીલા ધારસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણ, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, તેમજ સિધ્ધેશભાઈ વોરા નિલેશભાઈની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ પત્ર ૨૦૨૪ મોદી કિ ગેરેંટી અભિયાનનું લોન્ચિંગ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં આજે ગુજરાત રાજયના મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાએ તેમનાં વક્તવ્યમાં જણાવેલ કે દરેક પાર્ટી ચૂંટણી પહેલા ચૂંટણી ઢંઢેરા આપતા હોય છે જયારે મોદી સાહેબ દેશના વિકાસ માટે પ્રજાના સુચનો લેવા વિવિધ પ્રકારે જેવા કે LED વાહનોથી, પોસ્ટકાર્ડ રૂપી બોકસ પેટીમાં લેખીક સુચનો માટે ૬૦૦૦ સ્થાનો ઉપર બોકસ મુકવા ભાજપના કાર્યકરો જનતા પાસેથી સુચનો એકત્રિત કરશે, નમો એપથી પણ સુચનો મેળવશે સાથે સાથે પ્રબુધ્ધ નાગરીકો સાથે કાર્યક્રમો યોજી અને વિકસિત ભારત ૨૦૨૪ના સંકલ્પપત્ર માટે સુચનો મેળવવામાં આવશે, તેમજ ૯૦ ૯૦ ૯૦ ૨૦ ૨૪ મોબાઈલ નં પર મિસ કોલ કરીને અને તમારા મોબાઈલમાં રીંગ આવશે બિપ અવાજ આવ્યા બાદ વોઈસ મેસેજથી પણ તમારા સુચનો આપી શકો છો આવી રીતે વિવિધ માધ્યમ દ્વારા સમાજના તામામ વર્ગ પાસેથી આવેલ સુચનો માથી દેશના વિકાસ માટેની આગામી યોજનાઓ માટે સંકલ્પપત્ર તૈયાર કરવામાં આવશે આ કાર્યક્રમમાં દરેક પત્રકાર મિત્રો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





