
તા.૧૬/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Upleta: રાજકોટના ઉપલેટામાં પણ ખેડૂતોએ ડુંગળીના ભાવને લઈને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન યોગી હતું જેમાં રસ્તા પર ડુંગળી શેકીને મફતમાં ડુંગળીનું વેચાણ કર્યું છે.

રાજકોટ: ઉપલેટા શહેરમાં ડુંગળીના પોષણ સંભાળ નહીં મળતા અને કેન્દ્ર સરકારે નિકાસબંધી કરતા કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખી અને ઉપલેટામાં ડુંગળીનો વિરોધ પ્રદર્શન યોજાયો છે ઉપરાંત જાહેર રાજમાર્ગ પર લોકોને મફતમાં ડુંગળીનું વિતરણ કર્યું હોવાનું સામે આવ્યું છે.
કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ડુંગળી ભાવ નહિ મળતા ખેડૂતો વિરોધ યોગી રહ્યા છે ખેડૂતોએ લોકોને વિનામૂલ્ય વિતરણ કરી સરકારના નિર્ણય અને પોષણ ભાવ નહીં મળતા વિરોધના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો મુંઝવણમા મુકાઈ ગયેલ છે અને માર્કેટીંગ યાર્ડમા પણ ડુંગળીના ભાવ નહી મળતા ખેડૂતો પાયમાલ થઈ ગયેલ છે. ખેડૂતોના ખેતરમા ડુંગળી તૈયાર થઈ ગયેલ છે અને ડુંગળીનો પાક સંપૂર્ણ બગડી રહ્યો છે ત્યારે ઉપલેટાના શાકમાર્કેટ રોડ પર ખેડૂતોએ મફતમા ડુંગળી વેંચીને કેન્દ્ર સરકારના નિકાસ બંધીના નિર્ણયનો વિરોધ પ્રદર્શન કરેલ.

ઉપલેટા પંથકના ખેડૂતોએ મફતમા ડુંગળીઓ વહેચી પોતાની વ્યથા વ્યક્ત કરેલ અને અને હજુ જો કેન્દ્ર સરકાર આ નિકાસ બંધીને દુર નહિ કરે તો ડુંગળી પકાવતા ખેડૂતો પાયમાલ તરફ ધકેલાઈ જસે ત્યારે ગરીબોની અને ખેડૂતોની કસ્તુરી હાલ ખેડૂતોને રડાવી રહી છે અને આ નિકાસ બંધી કરતા ડુંગળીના પોષણક્ષમ ભાવ પણ નથી મળી રહ્યા ત્યારે ખેડૂતોને પડ્યા પર પાટુ લાગી રહ્યું હોય અને ડુંગળી પકાવતા ખેડૂતો રાતે પાણીએ રડી રહ્યા છે.
અમુ સિંગલ જેતપુર








