
વિજાપુર તાલુકા પંચાયતના ત્રણ કર્મચારીઓ વય નિવૃત્તિ ના કારણે વિદાય થતા સન્માન કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી મહેન્દ્રભાઈ ડી.પટેલ તથા હર્ષદ સિંહ વિહોલ તલાટી કમ મંત્રી કોટડી ગ્રામ પંચાયત તથા નારાયણભાઈ પ્રજાપતિ તલાટી કમ મંત્રી કોલવડા ગ્રામ પંચાયત વયનિવૃત્ત થતા તેઓના નિવૃત્તિ કાર્યક્રમમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા બાદ પ્રમુખ ની ઓફીસ ખાતે યોજાયો હતો જેમાં તમામ ભાજપ તથા કોંગ્રેસના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયત ના પ્રમુખ પરેશભાઈ પટેલ વિરોધ પક્ષના નેતા દિનેશ સિંહ ચૌહાણ તથા તાલુકા પંચાયતના સ્ટાફ જેમાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ મિશ્રા તથા અન્ય કર્મચારી ગણ તથા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા આ ત્રણેય નિવૃત્ત થતા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ તથા નિવૃત્તિ બાદ આ ત્રણેયનું જીવન નિરોગીમય અને દીર્ઘાયુ રહે તથા લોકસેવા માં સતત કાર્યશીલ રહે તેવી શુભેચ્છાઓ સાથે વિદાય આપવામાં આવી હતી