
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ તેમજ સાધુ સંતો એ હિન્દૂ સમાજને વિવિધ સંગઠનો સંસ્થા સામાજિક આગેવાનો સાથે લઈ આગામી યોજાનાર જય શ્રી રામ, શ્રી રામ જન્મભૂમિ મંદિર અક્ષત વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે
ડાંગ વિસ્તારના દંડકારણ્યમાં અયોધ્યા રામ મંદિરમાં આમંત્રિત કરવાનો સંકલ્પ લઈને સમગ્ર આદિવાસી હિન્દુ સમાજને સ્વયં આમંત્રિત કરવામાં આવશે.આ સંકલ્પ સાથે અયોધ્યાથી આમંત્રિત કરાયેલી અક્ષતાને ડાંગ વિસ્તારના તમામ નગરજનો અને ગામડાઓમાં આપીને સમાજમાં રામરાજ્યની સ્થાપના થાય અને .ડાંગ જિલ્લામાં ફરી એકવાર માતા શ્રી શબરી માતાનો સંદેશો પ્રસારિત થાય અને વિશ્વમાં સમરસતા સર્જાય.એવા સંકલ્પ સાથે 1લી થી 15મી જાન્યુઆરી સુધી ધર ધર સંપર્ક અભિયાન કરી અને 22 જાન્યુઆરી રામલલા પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરી શ્રી રામ મય બનાવી આંનદો ઊલાશે ઉત્સવ ઉજવવામાં આવશે.





