JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

આઈ.સી.ડી.એસ. શાખા અને જુનાગઢ મ.ન.પા. દ્વારા આંગણવાડી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સગર્ભા બેહનોધાત્રી માતાઓ અને કિશોરીઓએ મતદાનની અપીલ કરી

જૂનાગઢ તા.૨  આગામી ૭ મે ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં દરેક મતદાર પોતાના મતદાન હકનો ઉપયોગ કરે અને દેશના વિકાસમાં મતદાન થકી પોતાનું યોગદાન આપે તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાય છે. ત્યારે જૂનાગઢ શહેરમાં આંગણવાડી ખાતે આઈ.સી.ડી.એસ. શાખા અને જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સગર્ભા બેહનો, ધાત્રી માતાનો અને કિશોરીઓએ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને અન્ય લોકોને પણ મતદાન કરી પોતાની ફરજ અદા કરવાની અપીલ કરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button