GUJARAT
શિનોર પરગણા દરજી સમાજ ધ્વારા મહાકાળી માતાજી મંદિર ખાતે પાટોત્સવ તેમજ નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદી યોજાઇ
વડોદરા જીલ્લા ના શિનોર ની મધ્યે મહાકાળી માતાજી નુ મંદિર આવેલુ છે..અહી શિનોર પરગણા દરજી સમાજ ધ્વારા વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો ના આયોજન સાથે મહાકાળી માતાજી ની પૂજા-આરાધના ભારે શ્રધ્ધા પૂર્વક કરાય છે..આ ઉપરાંત પ્રતિવર્ષ મહાકાળી માતાજી મંદિર ના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ નુ આયોજન કરાય છે..જે પરંપરા મુજબ આજરોજ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ યોજાયો હતો... શિનોર પરગણા દરજી સમાજ ધ્વારા યોજાયેલ નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદી ના ધાર્મિક કાર્યક્રમ નો લાભ, મોટી સંખ્યામા ઉપસ્થિત માઇ ભક્તોએ લઇ ધન્યતા અનુભવી હતી... ફૈઝ ખત્રી...શિનોર


[wptube id="1252022"]





