GUJARATIDARSABARKANTHA

ઇડરના જવાનપુરા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું

ઇડરના જવાનપુરા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું

****

સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકાના જવાનપુરા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ હતી.ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચતા ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું.

કેન્દ્ર રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ લોકોને આ યોજનાઓની જાણકારી મળી રહે તેવા આશય સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગામેગામ ફરી રહી છે. જેના ભાગરૂપે ઇડરના જવાનપુરા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્માન કાર્ડ સહિતની યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી. કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.બાલિકાઓ દ્વારા “સ્વચ્છતા કી જ્યોત જલાયે” સંદેશો આપતું ગીત રજૂ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાંતિભાઈ,આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી, તાલુકા પંચાયત ઉપ પ્રમુખશ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અશ્વિનભાઇ પટેલ, પ્રાંતિ અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ,તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button