GUJARAT

ડેડીયાપાડા તાલુકાના વાંદરી ગામે એક ઘરમાં અચાનક ભીષણ આગ લાગતા ઘરવખરી સહિત સંપૂર્ણ ઘર તબાહ બન્યું

ડેડીયાપાડા તાલુકાના વાંદરી ગામે એક ઘરમાં અચાનક ભીષણ આગ લાગતા ઘરવખરી સહિત સંપૂર્ણ ઘર તબાહ બન્યું

તાહિર મેમણ : ડેડીયાપાડા – 25/04/2024- પ્રાપ્ત વિગત મુજબ ડેડીયાપાડા તાલુકાના વાંદરી ગામના અમરસિંહભાઈ વસાવા ના ઘરે અચાનક ભેસાણ આગ લગતા ઘરવખરી સહિત તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો જોકે જાનહાની થઈ ન હતી પરંતુ જંગલ વિસ્તારમાં કાયમી ધોરણે આગ લાગે છે છતાં પણ આ ઓલવવાના બંબાને કોઈ વ્યવસ્થા ડેડીયાપાડા તાલુકા ખાતે કરવામાં નથી આવી કરોડો રૂપિયાની ગ્રાન્ટો અહીંયા વપરાય છે પરંતુ સામાન્ય માનવીની સુવિધા માટેની ઉણપ ઊડીને આંખે વળગે છે અહીંના ઘરો જંગલ વિસ્તારમાં હોવાથી આગ વિકરાળ પણ બની શકે છે અને ખૂબ મોટી જાનહાની પણ થઈ શકે છે છતાં પણ તંત્ર આગ બોલવાના બંબાની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ને મળ્યું છે છેલ્લા ત્રણ વર્ષમાં સંખ્યાબંધ ઘરોમાં આગ લાગવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે પશુઓના જીવ પણ ગયા છે છતાં પણ તંત્ર કોઈ મોટી દુર્ઘટના ની રાહ જોતો હોય તેવું લાગી રહ્યું છે જેથી ગરીબ આદિવાસી જનતામાં આ અંગે રોશની લાગણી છે અને ચૂંટણીનું વર્ષ હોવાથી લોકોને મદદ તો મળી રહેશે પરંતુ આવા કાયમી અટકાવવા માટે વ્યવસ્થા કરવાની ખૂબ જ જરૂર છે અને ડેડીયાપાડા સહિત સાગબારા ખાતે પણ ખૂબ જ આગ બનાવો બને છે જેથી લોકોની જિંદગીનો પણ ભારે જોખમ રહેલું છે તો વહેલી તકે હવે બંને તાલુકામાં ફાયર સ્ટેશન બને તેવી લોક માંગ ઉભી થઈ છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button