
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ
માંડવી ,તા-૩૧મે : માંડવી નાં બિદડા મધ્યે ૩૦મે ના રોજ બિદડા પ્રા.આ. કેન્દ્ર -૧ તલવાણાના મેડિકલ ઓફિસર ડૉ.અમિષીબેન સંઘવી તથા સુપરવાઈઝર અશ્વિનભાઈ ગઢવીના માર્ગદર્શનથી રામકૃષ્ણ મઠ ભુજ અને ડૉ.મનોજ. માકાણી ની ટીમ દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું જેનું ઉદ્ઘાટન આજે સવારે ૧૦ વાગ્યે પુજ્ય શ્રી દામોદગીરી બાપુ મહંત શ્રી બજરંગ ધામ આશ્રમ -બિદડા તેમજ ગામના આગેવાનો શ્રી નારાણભાઈ ગઢવી, ભરતભાઇ રાજગોર, મહેશભાઈ રાજગોર તેમજ અન્ય ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.અને આ કેમ્પમાં 55 દર્દીઓને સારવાર આપવામા આવી. અને આ કેમ્પને સફળ બનાવવા માટે આયુષ્યમાન આરોગ્ય મંદિર બિદડાના આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
[wptube id="1252022"]







