GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર મોતીપુરા ટીંટોદણ પાસેથી પાટલા ઘો નો શિકાર કરતા બે ઈસમો વન વિભાગે ઝડપી પાડયા

વિજાપુર મોતીપુરા ટીંટોદણ પાસેથી પાટલા ઘો નો શિકાર કરતા બે ઈસમો વન વિભાગે ઝડપી પાડયા
બંન્ને શિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરી જેલ માં ધકેલી દેવાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના મોતીપુરા ટીંટોદણ ગામની નજીક કુકરવાડા ગામના બે દેવીપુજક ઈસમો પાટલા ઘો નો શિકાર કરવા જતાં ફિલ્ડ માં નીકળેલ વન વિભાગની ટીમ ના હાથે શિકારી ખુદ શિકાર બની જતા ઝડપાઇ ગયા હતા વન વિભાગે બંને ઈસમો પાસેથી પાટલા ઘો નો કબ્જો મેળવી પ્રાણી સંરક્ષણ ધારા ૧૯૭૨ મુજબ કાયદેસર કરી વસઈ પોલીસ ને જાણ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવતા બંને ઈસમો ને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા આ અંગેની વન વિભાગ પાસેથી મળતી માહીતી મુજબ તાલુકાના વન વિભાગના અધિકારી એમ એ પટેલ પોતાની ટીમ સાથે ફિલ્ડ માં તપાસ અર્થે નીકળ્યા હતા તે સમય દરમ્યાન વસઈ થી મોતીપુરા ટીંટોદણ રોડ ઉપર ઇકો ગાડીમાં બે તંદુરસ્ત પાટલા ઘો નો શિકાર કરી પકડી પાંજરા મા પુરી બે ઈસમો દેવીપૂજક શૈલેષભાઇ અને અન્ય એક દેવીપુજક ઇસમને રંગે હાથે ઝડપી લીધા હતા અને તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરી પોલીસ ની મદદથી જેલ ધકેલી દેવાયા હતા જોકે પાટલા ઘો વન ભાગ ૨ માં સમાવિષ્ટ પ્રાણીઓ માં આવતું હોય છે જેને લઇને વન પ્રાણી સંરક્ષણ ૧૯૭૨ અંતર્ગત કાયદેસર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button