
આસીફ શેખ લુણાવાડા
Lunavada.બાલાસિનોર માં નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની આન બાન શાનથી શાંતિ પૂવર્ક ઉજવણી કરવામાં આવી

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં ઇદે મિલાદ તહેવાર નિમિત્તે હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ના જન્મ દિવસ નિમિત્તે બાલાસિનોર મુસ્લિમ બિરાદરો દ્વારા જુલૂસ કાઢી આન બાન-શાનથી ઉત્સાહભેર રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદ નિમિત્તે વ્હેલી સવારથી જ બાલાસિનોર નગરના સવારે ૭-૦૦ થી અંજુમનચોક માંથી નીકળી વિજય ટોકીઝ, હેદરીચોક, થઈ ખાટકીવાડ, વ્હોરવાડ, જુની સ્ટેટબેંક, રાજપુરી દરવાજા, લુહારવાડા, કિરકીટવાડ, નિશાળચોક, મોચીવાડા, અંજુમનચોક થી ભાવસારવાડા, તળાવ દરવાજા, પુરા મહોલ્લા, દરબારગઢ, થઈ હુસેનીચોક, જુમ્મા મસ્જીદ, કસ્બામહોલ્લા, પઠાણવાડા, કસાઈવાડા, તાલુકા પંચાયત રોડ, કાલુપુર, મુલ્લાવાડા, થઈ બપોરે ૧૧-૪૫ ક્લાકે પરત અંજુમનચોકમાં મુકવામાં આવે છે. વિવિધ માર્ગો ઉપર જુલૂસ કાઢવામાં આવ્યુ હતું અલ્લાહની બારગાહમાં દુવાઓ કરવામાં આવી હતી .
બાલાસિનોર પોલીસ સ્ટેશન ના પી.આઈ. સાહેબ તથા તેમની ટીમ અને લુણાવાડા ના એસ.પી.સાહેબ એ જુલૂસ રૂટ ચેક કરી 28/09/2023 ગુરુવાર ના રોજ બાલાસિનોરમાં ઈદે મિલાદ જુલૂસની પરવાનગી આપી તથા જુલૂસમાં પોલીસ સ્ટાફનો જે બંદોબસ ગોઠવ્યો તે બદલ બાલાસિનોર મુસ્લીમ સમાજ તેમનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.









