GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ગોધરા તાલુકાના ટીમ્બા ગામ ખાતે ડો.આંબેડકર જયંતીની ઉજવણી કરવામાં આવી.

તારીખ ૧૪/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ગોધરા તાલુકાના ટીંબાગામ ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકર ચોકમાં બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરજી ની ૧૩૩ મી જન્મ જયંતિ અંતર્ગત ૧૪ એપ્રિલ દિવસે બાબા સાહેબ ની પ્રતિમાને ફૂલહાર ચડાવી, કેક કાપી જયઘોષ સાથે ભારે સુત્રોચાર કરવામાં આવ્યુ.જેમા ગોપાલભાઈ પટેલ, ગૌરાંગભાઈ પટેલ,ધર્મેશભાઈ પટેલ, નરસિંહભાઈ સોલંકી, જસીબેન ગોઠડા,કાવ્યા મકવાણા,જીયા મકવાણા દ્વારા બાબા સાહેબના જીવન કવન વિશે ખુબ સુંદર વક્તવ્ય આપવામાં આવ્યુ હતુ. ગામના ડી.પી મકવાણા, ભુપેન્દ્રસિંહ, લક્ષ્મણસિંહ,લલ્લુભાઈ, કિરણભાઈ, રમેશભાઈ તીરગર,સ્મારક સમિતિના આયોજક રાકેશભાઈ મકવાણાના આયોજન હેઠળ ખુબ સુંદર અને સફળ કાર્યક્રમ કરવામાં આવ્યો. તેમજ મહિલાઓ-બાળકો સહિત મોટી સંખ્યામાં હાજર રહી આકર્ષક ટોપી અને ધજા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button