
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં નિલશાક્યા ગામ ખાતેથી એક યુવક મોટરસાયકલ પર સવાર થઈ જઇ રહ્યો હતો.ત્યારે મોટરસાયકલ પરથી પડી જવાથી યુવકને શરીરે ઇજાઓ પહોંચી હતી.જે બાદ તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જોકે તેનું મોત નિપજ્યુ હતુ.યુવકનું મોત નિપજતા આહવા સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા યુવકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ.પરંતુ પરિવારે પોસ્ટમોર્ટમ કરવા માટે સ્પષ્ટપણે ના કહ્યુ હતુ તેમ છતા પોસ્ટમોર્ટમ કરવામાં આવતા સિવિલ હોસ્પિટલ ખાતે હોબાળો મચી જવા પામ્યો હતો.ડાંગ જિલ્લાનાં ભવાડી ગામ ખાતે રહેતો ચેતન ગોંડ નામનો યુવક પોતાના કબજાની મોટરસાયકલ પર સવાર થઈને નિલશાક્યા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો.ત્યારે યુવકની પોતાની ભૂલને કારણે મોટરસાયકલ પરથી પડી ગયો હતો અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જોકે યુવકનું મોત નીપજ્યુ હતુ.આ અકસ્માતમાં યુવકનું મોત થવાથી પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી.પોલીસ દ્વારા યુવકના પરિવારને પૂછવામાં આવ્યુ હતુ કે,” યુવકનું પોસ્ટમોર્ટમ કરવું છે કે નહીં ?” ત્યારે યુવકના પરિવાર એ પોસ્ટમોર્ટમ કરવા માટે સ્પષ્ટપણે ના કહ્યુ હતુ.તેમ છતા આહવા સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર દ્વારા યુવકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ.જેના કારણે હોબાળો મચી જવા પામ્યો હતો. અને સ્થાનિક આગેવાનો તથા પરિવારના સભ્યોએ સખત વિરોધ નોંધાવ્યો હતો.પરિવારની પરવાનગી વગર જ પોસ્ટમોર્ટમ કરવામાં આવતા સામાજિક કાર્યકર નિલેશ ઝામરે પણ આહવા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.ત્યારે માહોલ ગરમાયો હતો. જે બાદ ફરજ પરના ડોક્ટર દ્વારા સમજાવટ કરવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.આ સમગ્ર મામલાને લઈને આહવા સિવિલ હોસ્પિટલનાં આર.એમ.ઓ ડૉ.હરેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે ગેરસમજનાં કારણે યુવકના પરિવાર અને ટોળાએ હોબાળો મચાવ્યો હતો.અકસ્માતમાં યુવકનું કયા કારણસર મોત થયું છે તે જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવું જરૂરી હતુ.જેથી ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય.બાદમાં ડોકટર દ્વારા યોગ્ય સમજાવટ કરતા આ મામલો થાળે પડ્યો હતો.અને ટોળું સમેટાયુ હતુ..





