AHAVADANG

ડાંગ: દિવડયાવન કૃષકોનો કાયાકલ્પ કરતી રાષ્ટ્રીય ક્રૂષિ વિકાસ યોજના:ખેડુતોએ અપનાવી મધમીઠા તરબૂચની ખેતી.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ લગભગ એક દસક પહેલા દિવડયાવનના ખેડુતોએ અપનાવેલી મધમીઠા તરબૂચની ખેતી, આજે ડાંગના સીમાડા ઓળંગીને પાડોશી તાપી તથા નવસારી જિલ્લાના ખેડુતોના ખેતરો સુધી વિસ્તરી ચૂકી છે. ભારત સરકારની રાષ્ટ્રીય કૃષી વિકાસ યોજના અંતર્ગત ડાંગ જિલ્લામાં સંભવત: પ્રથમ લાભાર્થી તરીકે દિવડયાવન ગામના મહેનતકશ ખેડુત શ્રી મધુભાઈ ગાવિતે સને ર૦૧૧/૧ર માં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ અને તજજ્ઞોના માર્ગદર્શન તળે તરબૂચની ખેતી તરફ સાહસિક તરફ કદમ માંડયુ હતું ત્યારથી લઈને આજ દિન સુધી તેમણે પાછુ વળીને જોયુ નથી. એટલુ જ નહી તેમની સફળતા જોઈને આખુ દિવડયાવન અને આસપાસના ખાતળ, માછળી, ભાલખેત, ચિકાર જેવા ગામોએ પણ તરબૂચની ખેતી અપનાવી, અને સફળ પણ થયા છે.
આ યોજના હેઠળ ડ્રીપ ઈંરીગેશનની સિસ્ટમ સાથે મલ્ચિંગ માટેના સાધનો અને તરબૂચનું બિયારણ સો ટકા સહાયથી જિલ્લાના ખેડુતોને આપવામાં આવ્યુ છે, તેમ જણાવતા વઘઇ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞ ડો. હર્ષદ પ્રજાપતિએ પ૦ ટકા પાણીની બચત સાથે નિંદામણ જેવા ખેતી ખર્ચમાં પણ ખૂબ મોટી બચત થાય છે તેમ જણાવ્યુ હતુ.

પુર્ણા નદીના પટમાં આવેલા આ ગામોમાં તરબૂચના રોકડીયા પાકને કારણે ખેડુતોના જીવન ધોરણમાં ખાસ્સો એવો બદલાવ આવ્યો છે તેમ જણાવતા શ્રી મધુભાઈ ગાવિતે ડાંગ ઉપરાંત તાપી,  નવસારી, સુરત જેવા જિલ્લાના વેપારઓ, ખેડુતોના ખેતરે આવીને તેમનો પાક ખરીદી જાય છે તેમ કહયુ હતુ. ટનના ૧ર૦૦ થી ૧૬૦૦ રૂપિયા સુધીના ભાવે દિવડયાવન તથા આસપાસના ગામોના તરબૂચ વેચાઈ રહયા છે તેમ પણ તેમણે હોંશભેર જણાવ્યુ હતુ.

શરૂઆતમાં કે.વી.કે. દ્વારા ડ્રીપ ઈરીગેશનની સિસ્ટમ સો ટકા સહાય સાથે લાભાર્થી ખેડુતોને આપવામાં આવી હતી ત્યારે તેના લેવાલ ખૂબજ મર્યાદિત હતા તેમ જણાવતા અન્ય એક લાભાર્થી ખેડુત શ્રી જીતેશ ગાવિતે કહયુ હતુ કે હવે આગાખાન જેવી સંસ્થાના આર્થિક સહયોગ સાથે ડ્રીપ ઈરીગેશનનો લાભ લેવા માટે ખેડુતોની કતાર લાગી રહી છે.

ઉલ્લેખનિય છે કે સને ર૦૦૭ થી અમલી આ RKVY યોજના શરૂઆતમાં સો ટકા કેન્દ્રિય સહાય હેઠળ ચલાવવામાં આવી હતી. ત્યાર બાદ સને ર૦૧પ/૧૬ થી કેન્દ્ર અને રાજય સરકારના ૬૦:૪૦ ફાળાના ધોરણે ચલાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત દરેક રાજયનો તેની જરૂરીયાત, પ્રાથમિકતાઓ અને જલવાયુના હિસાબે કાર્યક્રમોની પસંદગી કરે છે. તેમ જણાવતા કે.વી.કે.ના કૃષિ વૈજ્ઞાનિક ડો.હર્ષદ પ્રજાપતિએ પાક નિદર્શન અને તજજ્ઞોના માર્ગદર્શનને કારણે ડાંગના ઘણા ખેડૂતો તરબૂચની ખેતી તરફ વળ્યા છે તેમ જણાવી, જિલ્લામાં તરબૂચ પાકનું ઉત્પાદન અને વાવેતર વિસ્તાર વધારવાનો પ્રયાસ અહી સો ટકા સફળ થયો છે તેમ જણાવ્યુ હતુ.  કૃષિ, કૃષિ ઉત્પાદન અને કૃષકોના વિકાસને કેન્દ્રમાં રાખી આ યોજનાનું સફળ અમલીકરણ, ડાંગ જિલ્લાના ખેડુતો તથા તેમના ખેતરોનો કાપાકલ્પ કરી રહી છે.

[wptube id="1252022"]
Back to top button