DAHODFATEPURA

આર્ટ્સ કૉલેજ ફતેપુરા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર

જુનેદ પટેલ-ફતેપુરા

તારીખ ૨૮/૦૮/૨૦૨૩ ના રોજ આર્ટ્સ કૉલેજ ફતેપુરા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી.કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રો.પિયુષ ડી.પરમાર સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ ને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિશે માહિતી આપવામાં આવી.આ કાર્યક્રમમાં ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.જેમાં ઝવેરચંદ મેઘાણી જીવન,કવન વિષયક વાત કરવામાં આવી તથા તેમના રચિત ગીતનું ગાન કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રો.પી.ડી.પરમાર સાહેબ દ્વારા કરવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભાર વિધિ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ.બી.એન.રાઠોડ દ્વારા કરવામાં આવી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button