DAHOD

ઝાલોદ તાલુકાના ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં તળાવો ભરવા માટે રજૂઆત કરવામાં આવી

તા.01.03.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ઝાલોદ તાલુકાના ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં તળાવો ભરવા માટે રજૂઆત કરવામાં આવી

કેટલા તળાવ ભરાયા અને બાકીના તળાવોમાં પાણી ક્યારે ભરાશે તે વિશે માહિતી માંગી ઝાલોદ તાલુકા વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા આગામી સમયમાં પાણીની જારીયાતને લઈને તાલુકામાં પાણીની જરૂરીયાતને લઈ ચિંતા કરતા ગુજરાત સરકાર દ્વારા કેટલા તળાવો ભરવામાં આવ્યા અને કેટલા તળાવો ભરવાના બાકી છે અને બાકી તળાવ કેટલા સમયમાં ભરાઈ જશે તે અંગે વિધાનસભામાં રજૂઆત કરી માહિતી માંગી હતી. તે અંગે રાજ્યમંત્રી મૂકેશ પટેલ દ્વારા માહિતી આપવામાં આવેલ હતી તેમજ ધારાસભ્ય મહેશ ભૂરિયાને રૂબરૂ મળવા બોલાવી તાલુકાના તળાવોમાં પાણી ભરવાને આયોજનમાં લેવા બાંહેધરી આપી હતી

[wptube id="1252022"]
Back to top button