GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર તાલુકા પંચાયતના ટીએલઇ કર્મચારી ચૂંટણી ની કામગીરી દરમ્યાન અવસાન પામેલ કર્મચારી ના પરિવારજનો ના 15 લાખ મંજુર કરાયુ

વિજાપુર તાલુકા પંચાયતના ટીએલઇ કર્મચારી ચૂંટણી ની કામગીરી દરમ્યાન અવસાન પામેલ કર્મચારી ના પરિવારજનો ના 15 લાખ મંજુર કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયત ખાતે ટીએલઇ ની ફરજ બજાવતા દિનેશજી ઠાકોરને લોકસભાની ચૂંટણી માટે આદર્શઆચાર સંહિતા ની કામગીરી મામલતદાર કચેરી શોપવા માં આવી હતી દોઢ માસ પૂર્વ તેઓ બપોરે 12 કલાકે કચેરી માંથી ચા પીવા બહાર આવ્યા હતા તે સમયે તબીયત લથડતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેઓનું ડોકટરે મૃત્યુ જાહેર કર્યા હતા. જેની જાણ જીલ્લા પંચાયત તેમજ ચૂંટણી શાખા કલેક્ટર મથકે કરવામાં આવી હતી.જીલ્લા ચૂંટણી અધિકારી તેમજ જીલ્લા કલેકટર એમ નાગરાજન ને બનાવની વિગતો દરખાસ્ત માટે મોકલી આપવામાં આવી હતી.સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મૃત્યુ પામેલ કર્મચારી દિનેશજી બાબુજી ના પરિવાર ને ઉચ્ચક 15 લાખ વળતર મંજુર કરવામાં આવ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button