
વિજાપુર હિરપુરા યુવકે વ્યાજખોરીના મામલે ઝડપાયેલા આરોપી પૂર્વ પાલિકા પ્રમુખે કોર્ટમાં રજૂ કરેલા જામીન ના મંજૂર કરાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના હિરપુરા ગામના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અમિતા બેન પટેલ ના પતિ મનોજભાઈ પટેલે પખવાડિયા પહેલા તા.4/3/2024ના રોજ પોતાના ઘરે વ્યાજખોરી ના મામલે ઝેરી દવા પી ને આત્મહત્યા કરી હતી.જેમાં પોલીસે ચાર આરોપીઓ ને ઝડપી લઈને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. જે પૈકીના એક આરોપી પાલિકાના પૂર્વ પ્રમુખ રેણુસિંહ ચૌહાણ ઉર્ફે દીપારામ દ્વારા મહેસાણા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકવામાં આવી હતી .જે રેગ્યુલર જામીન અરજી ની સુનાવણી સેસન્સ કોર્ટ ના જસ્ટીસ રીજવાના બેન બુખારી સમક્ષ ચાલી જતા અને સરકારી વકીલ ની ધારદાર દલીલોના આધારે અને કેસ ની ગંભીરતા ને જોતા જામીન અરજી ના મંજુર કરવામાં આવી હતી
[wptube id="1252022"]





