GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના એક ગામની સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનાર સામે પોંકસો અને એટ્રોસિટી મુજબ ફરીયાદ

તારીખ ૧૧/૦૬/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના એક ગામની સગીરાને તા ૦૭/૦૬/૨૪ ના રાત્રી ના ૧૧ કલાકથી તા ૦૮/૦૬/૨૪ ના સવારના ૬:૦૫ કલાક ના સમયગાળા દરમિયાન તેણીના ધરે થી કાયદેસરના વાલીપણા માથી સગીર હોવાનુ તેમજ અનુસૂચિત જાતિની હોવાનુ જાણવા છતા પણ લગ્ન કરવાના ઈરાદે પટાવી ફોસલાવી શારીરિક શોષણ કરવાના ઈરાદે ભગાડી જનાર રોહિતકુમાર ઊર્ફે ખાટિયો દિલીપભાઈ બારીયા સામે સગીરાના વાલીએ કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે અપહરણ તેમજ પોકસો એક્ટ અને એટ્રોસીટી એક્ટ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાલોલ ના ઈનચાર્જ ડીવાયએસપી બી એલ દેસાઈ દ્વારા શરૂ કરાઈ છે.

[wptube id="1252022"]
Back to top button