GUJARATNAVSARI

નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સાફ-સફાઇ અભિયાન હાથ ધરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી અને ખાસ કરીને ગુરુવારના રોજ રાત્રિના વરસેલા મુશળધાર વરસાદ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. આ સ્થિતિને અનુલક્ષીને નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુચારુ પગલાં લેવામાં આવી રહયાં છે. જેમાં ખાસ કરીને નવસારી- વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં જયાં જયાં પાણી ભરાયા હતાં ત્યા ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરીઓ હાથ ધરાઇ હતી. જે પૈકી રસ્તા સાફસફાઇ, પાણીનો નિકાલ, યાતાયાતની સમસ્યાઓ, વીજપુરવઠો, ડ્રેનેજ સફાઇ કામગીરીઓ થકી જનજીવનને ફરી વેગવંતુ કરવા સતત યુધ્ધના ધોરણે કામ કરવામાં આવી રહી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button