AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

રાજ્યની આશ્રમશાળાઓમાં સરકારે પણ કબુલ્યુ છે કે શિક્ષકો માત્ર ૨૫% છે

ગુજરાતની આશ્રમશાળાઓમાં શિક્ષકો સહિત અન્ય સ્ટાફની ઘટ મુદ્દે હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. અરજદારે રાજ્યની આશ્રમશાળાઓમાં શિક્ષકોની ઘટ, રસોઈયાની ઘટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે અરજી કરી હતી.

આ રિટમાં અરજદારે રજૂઆત કરી છે કે આશ્રમશાળાઓમાં શિક્ષકો ઓછા અને વિદ્યાર્થીઓ વધુ છે,  10 વર્ષથી અનેક શિક્ષકોની જગ્યા ખાલી છે. અરજદારના કહેવા પ્રમાણે રાજ્યની આશ્રમશાળાઓમાં સરકારે પણ કબુલ્યુ છે કે શિક્ષકો માત્ર ૨૫% છે અને ૭૫% જગ્યા ખાલી છે. આશ્રમ શાળાઓની 90% ઈમારતો જર્જરિત છે.  1945માં જે ગ્રાન્ટ મળતી હતી એ જ હાલ પણ મળ છે.

ગુજરાત હાઈકોર્ટે પ્રાથમિક સુનાવણી બાદ રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે આશ્રમશાળાઓની સંખ્યા, શિક્ષકો, ખાલી પોસ્ટ સહિતના મુદ્દે સોગંદનામુ રજૂ કરવા સરકારને નિર્દેશ કર્યો છે. આ સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો રેશિયો, નોન ટિચિંગ સ્ટાફ અને સંચાલક સહિતની વિગતો રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

[wptube id="1252022"]
Back to top button