INTERNATIONAL

7.8ની તીવ્રતાનો ભૂકંપ, મોતનો આંકડો 175ને પાર

તુર્કીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નૂરદગીથી 23 કિમી દુર આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી છે. જોકે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની તીવ્રતા 7.5 દર્શાવી હતી. મળતા અહેવાલો અનુસાર ભૂકંપ દરમિયાન 175થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 1000થી વધુ લોકો ઘવાયાની માહિતી મળી છે. તેમજ 16 ઈમારતોને અતિ નુકસાન થયું છે. જોકે, આ આંકડો હજુ વધી શકે છે. સાનલીઉર્ફા મેયરે આ વાતની પુષ્ટિ કરી છે.

ભૂકંપના આંચકા સીરિયા સુધી પણ અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે તુર્કી અને સીરિયામાં અનેક ઈમારતોને નુકસાન થયાના અહેવાલ છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપના કારણે અનેક જાનહાનિ થવાની આશંકા છે.

[wptube id="1252022"]
Back to top button