GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:હજરત બાદશાહ બાબાની દરગાહ ખાતે રમજાન ઈદની પર્વને લઈને ત્રણ દિવસીય બાદશાહી ઇદ આનંદ મેળો યોજાશે.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૮.૪.૨૦૨૪

મુસ્લિમોના પવિત્ર તહેવાર એવા રમઝાન માસ અંતિમ ચરણમાં છે ત્યારે રમજાન માસ પૂર્ણ થતા રમજાન ઈદની મુસ્લિમ બિરાદરો નમાઝ અદા કરી ઉજવણી કરવામાં આવે છે.જે ઈદ ને ઈદુલ ફિત્ર તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીને લઈને હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ હઝરત બાદશાહ બાબાની દરગાહ ખાતે ત્રણ દિવસીય બાદશાહી ઇદ આણંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આગામી આવનાર રમજાન ઈદને લઈને આ આનંદ મેળામાં બાળકોના મનગમતા વિવિધ ચકડોળો પણ લાગી ચૂક્યા છે.જેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને આ ચકદોલો બાળકોનું મનોરંજન પૂરું પાડશે અને ઈદની ખુશીમાં લોકો મન મૂકીને બાદશાહી ઈદ આણંદ મેળાનો લાભ લેશે.જે આણંદ મેળો ઇદના દિવસે બપોરે 3 વાગે થી રાત્રે 10 વાગ્યા સુધી યોજાશે અને ત્રણ દિવસીય આ ઈદ મેળાનું ભવ્ય આયોજન થશે તેવું બાદશાહ બાબાની દરગાહ કમિટી દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે આ ઈદ મેળામાં હાલોલ નગર સહિત આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટશે અને ઈદ મેળાનો લાભ લેશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button