
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી ચૂંટણી અધિકારી અને કલેક્ટરની ઉપસ્થિતિમાં દિવ્યાંગ મતદાન જાગૃતિ રેલી યોજાઇ

અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન
દિવ્યાંગ વ્યક્તિઓમાં ચૂંટણી અંગેની જાગૃતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચૂંટણી માધ્યમથી તેમના હકોને પુરાવા આપવામાં આવે છે અને તેમની આવશ્યકતાઓને માન્યતા મળે છે ચૂંટણી જાગૃતિ અથવા સમાજની જાગૃતિ વધારવામાં મદદ કરે છે કે કોઈ પણ પ્રગતિશીલ સમાજનો ભાગ બની શકે. ચૂંટણી જાગૃતિ દિવ્યાંગ વ્યક્તિઓને તેમના સમાજમાં એક જીવન જીવવા અને વિકાસ કરવાની સુરક્ષિત અને સમાવેશનાત્મક સ્થિતિ પ્રાપ્ત કરવાનો અવસર આપે છે.
જે અંતર્ગત અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રશસ્તી પારિક દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓમાં મતદાન જાગૃતિ અભિયાન હેઠળ વધુમાં વધુ મતદાન થાય તે માટે આહવાન કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ચૂંટણી પ્રક્રિયામાં દરેક મતદાર પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોની સુવિધાઓ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે જેમાં દિવ્યાંગ અને વૃદ્ધજનો માટે મતદાનના દિવસે બુથ ઉપર જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.દિવ્યાંગો માટે એક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અને તમામને અચૂક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી









