MORBIMORBI CITY / TALUKOWANKANER

રાણેકપર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં ક્વિઝ કોમ્પીટીશન યોજવામાં આવી.

રાણેકપર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં ક્વિઝ કોમ્પીટીશન યોજવામાં આવી.

આજરોજ 25 મી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસ.

આ દેશનું ભાવિ એવા બાળકોને મતદાન વિશે અને મતદાતા વિશે માહિતી અને સમજણ પ્રાપ્ત થાય તે હેતુથી શાળામાં “પ્રશ્નમંચ”નું આયોજન કરવામાં આવ્યું.જેમાં પાંચ ટીમો પાડવામાં આવી. આ કાર્યક્રમનું સંચાલન શાળાના સમાજના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવતે કર્યું. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય અનિલભાઈ પનારા અને શાળાના શિક્ષક અશ્વિનભાઈ વંડરા એ બાળકોને મતદાન જાગૃતિ વિશે સરસ મજાની સમજૂતી આપી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ગામના તલાટી મંત્રી બારીયા સાહેબ દ્વારા ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમ ને સફળ બનાવવા ના તમામ શિક્ષકો રણજીતભાઈ ,અનિલભાઈ, અશ્વિનભાઈ, નરેન્દ્રભાઈ અંજનાબેન તથા નસીમબેન એ જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button