BANASKANTHAGUJARATPALANPUR

જગાણા ગામે પદયાત્રી સેવા કેમ્પનો શુભારંભ કરાયો

24 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

જગાણા દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ યોજાય છે. આજ રોજ અંબાજી યાત્રાળુઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મુકાયો હતો આ સેવા કેમ્પ છેલ્લા ઘણા વર્ષોથી પદયાત્રીઓ ના સેવા માટે યોજાય છે અંબાજી જતા યાત્રાળુઓને ચા-નાસ્તો, લીબુ-શરબત, ભોજન તેમજ દવાઓ સહિતનો સક્રિય કેમ્પ શરૂ કરવામાં આવતા વાતાવરણમાં એક નવીજ સ્ફૂર્તિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ યાત્રાળુઓને સારી અને સુંદર સુવિધાઓ મળશે આ પ્રસંગે જશવંતભાઇ જેગોડા અધિક કલેકટર, મહંતશ્રી ચંદનગીરી ગોસ્વામી,પ્રહલાદભાઇ પરમાર, રતીભાઇ લોહ, ગણેશભાઇ ચૌધરી, દિલીપભાઇ કરેણ, મોતીભાઇ જુઆ,વિરલ ચૌધરી, સચિન રામાતર,પ્રવિણ ચૌહાણ,અંકિત ચૌધરી જેવા સહિત અગ્રણીઓની હાજરીમાં પ્રારંભ થયો હતો.

[wptube id="1252022"]
Back to top button