DANGGUJARATNAVSARI CITY / TALUKO

નવસારીના અગ્રવાલ કોલેજ ખાતે મતદાન જાગૃત્તિ અભિયાન કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન પ્રત્યે લોકો વધુમાં વધુ જાગૃત થાય તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર નવસારી અને નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો નું આયોજન થઇ રહયું છે. જે અંતર્ગત એસ.એસ.અગ્રવાલ કોલેજ  ખાતે નિબંધ લેખન સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને ડિજિટલ પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોએ પોતાની કળા દ્વારા મતદાનનું જરૂરિયાતને સમજાવ્યું હતું. આ સાથે યુવાઓને મતદાનની મહત્વતા અંગે માર્ગદર્શન આપી શપથ લેવડાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારી શ્રીમતી વર્ષા રોધાના માદર્શન હેઠળ રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક નિમેષ ગડ્ડમ, જીનલ કાણાની,  ચિરાગ લુહાર અને વિદિશા હળપતિએ જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button