
તા.૨૧.૦૯.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી દ્વારા નવોદયબુકો નું વિતરણ કરવામાં આવ્યું
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર કાર્યરત છે. જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા આજરોજ તાલીમ વર્ગ સંજેલી ખાતે નવોદયની તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી દ્વારા તૈયાર કરાયેલી નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે બુક નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિલીપકુમાર મકવાણાએ જણાવ્યું હતુ કે સારા પુસ્તકો એક સારા મિત્રની ગરજ સારે છે. જેમ બને તેમ વધારે પુસ્તકોનો મહાવરો કરવો જોઈએ.. જરૂર પડે તો અમારા તાલીમ વર્ગ તરફથી વિશેષ મટીરીયલ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે ચેતનભાઈ ચરપોટ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ટૂંક સમયમાં મોરા – સુખસર – રંધિકપુર તાલીમ કેન્દ્રો પર ન્યુ પાર્થ નવોદય બુકનું વિતરણ કરવામાં આવશે.








