
તા.૦૫.૦૮.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
આદિવાસી ઉચ્ચતર મા.હાઇસ્કૂલ. છાલોર(ફતેપુરા)જી.દાહોદ ખાતે જલ સંવાદ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારનાં યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર દાહોદ અને આદિવાસી ઉચ્ચતર મા.શાળા. છાલોર(ફતેપુરા) જી.દાહોદખાતેજલ સંવાદ. કીવ્ઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. વિવિધ જગ્યાએ વરસાદી પાણી બચાવો અંતર્ગત જુદાં જુદાં પઘ્ઘતિથી પાણી બચાવો .કીવ્ઝ કોમ્પિટિશન.જાગુર્તિ માટે ના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં પાણી બચાવો પર.ભીતોડી.પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી શંકરભાઈ કટારા.તેમજ હડિયોલ મનહર સાહેબ. યોગકોચ ફતેપુરા ઘુળાભાઈ.આર.પારગી ખૂબ જ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લામાં વિવિધ જગ્યાએ નિબંધસ્પર્ધા. ચિત્ર સ્પર્ધા. કીવ્ઝ કોમ્પિટિશન વગેરે કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું. ઉપરાંત જાહેર જગ્યાએ વોલ પેન્ટિગ. સ્વોગન.રાઈટીંગ.નુક્કડ નાટક.જેવાં કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા.કાર્યક્રમ નો મુખ્ય હેતુ વરસાદી પાણી બચાવવાનો તથા ગ્રામજનો અને આજની યુવા પેઢીને પાણીનું મહત્વ સમજે તે હતો. જળ એજ જીવન હોય યુવક/ મહિલા મંડળો સભ્યો. રાષ્ટ્રીય સેવા.કર્મીઓ કાર્યકમ સફળ બનાંવ્યો હતો. વિવિધ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લેનાર અને વિજેતાઓને ઇનામ.પ્રમાણપત્રો. ટ્રોફી.એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન નેહરુ યુવા કેન્દ્ર દાહોદ કચેરીના જિલ્લા યુવા અધિકારી શ્રી વિઠ્ઠલભાઈ સાહેબનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું તેમજ આદિવાસી ઉચ્ચતર મા.શાળા આચાર્ય શ્રી ડી.એસ.ડામોર બાળકોને અભિનંદન આપ્યા હતા