AHAVA

Dang: બ્રહ્મકુમારીઝ આહવા કેન્દ્ર દ્વારા તમાકુ મુક્તિ દિવસની ઉજવણી કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા.૩૧ મી મે, “વિશ્વ તમાકુ નિષેધ દિન” તરીકે ઉજવવમાં આવે છે. આ દિનની ઉજવણી અંતર્ગત આહવાના બ્રહ્મકુમારીઝ સેન્ટર દ્વારા આહવા ખાતે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરિચંદભાઇ ભોયેએ આ વ્યસન મુક્તિ રેલીને લીલીં ઝંડી આપી હતી. જેમા વ્યસ ન મુક્તિના સુત્રોચાર કરવામાં આવ્યાં હતા.

આ પ્રસંગે બ્રહ્માકુમારી ઇનાબેને બાળકોને વ્યસનમુક્તિના ચિત્રો દ્વારા તમાકુથી થતા નુકસાન વિશે સમજ આપી હતી. સાથે જ તમાકુથી થતાં કેન્સરના રોગો વિશે પણ સમજાવ્યાં હતા.  

[wptube id="1252022"]
Back to top button