GUJARATJUNAGADHVISAVADAR

બરડીયા ગામના જેરામભાઇ ફુલમારીયાનાં ધર્મપત્નીને ઘુટણનાં ઓપરેશન માટે મળી ત્રણ લાખનાં ખર્ચની સરકારી સહાય

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત ઘુટણનાં ઓપરેશન માટે  મળી વિનામુલ્યે સારવાર
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢનાં વિસાવદર તાલુકાનાં નાનકડા બરડીયા ગામે છુટક કૃષિ મજુરી કામ કરી રોજગારી રળતા જેરામભાઇ ફુલમારીયાનાં ધર્મપત્નીને ઘુંટણની એવી તે તકલીફ હતી કે તેઓ ઉભા પગે ચાલવા અક્ષમ હતા. તેમને ઢડાઇને ઘરમાં હલન ચલન થતુ હતુ. સ્થાનિક આરોગ્ય કેન્દ્રની સલાહ અને સહાયથી જેરાભાઇનાં ધર્મચારીણીને રૂા. ૩ લાખનાં ખર્ચે ઘુંટણનું ઓપરેશન થતાં તેઓ હવે ચાલને સરળતાથી રોજીંદાકમ કરવા સક્ષમબન્યા છે. તેણીએ પોતાનીવાત કરતા જણાવ્યુ હતુ કે તેમને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત  ઘુંટણનાં ઓપરેશનમાં મળી વિનામુલ્યે સારવાર મળી છે. જો સરકારનીસહાય ના મળે તો અમારી ત્રેવડ નહોતી કે અમે ત્રણલાખનો ખર્ચ કરીને ઓપરેશન કરાવી શકીએ… ભલુ કરજો પ્રધાનમંત્રીશ્રીનુ કે તેમણે અમારા જેવા ગરીબ વ્યક્તિઓની હૈયાની વેદના ઉકેલી છે. હવે હું સાજી નરવી છું અને પગે ચાલીને જ જાવ છું.

[wptube id="1252022"]
Back to top button