GUJARATRAJKOTVINCHCHHIYA

Rajkot: વિંછીયા ખાતે દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ ખુલ્લો મુકાયો – ૩૫૦ જેટલા દિવ્યાંગોનું ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન

તા.૫/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: રાજ્યના પાણી પુરવઠા અને અન્ન પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વિંછીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મંત્રીશ્રીએ વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લીધી હતી તથા દિવ્યાંગ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

રાજય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર તથા સંબંધિત વિભાગોના સહયોગથી તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ પૈકી દિવ્યાંગતાની કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ માટે તાલુકા કક્ષાએ જ ખાસ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પના આયોજન કરવામાં આવી રહ્યા છે.

આ કેમ્પમાં સ્થળ ઉપર દિવ્યાંગોનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, આવકનુ પ્રમાણપત્ર, આયુષ્યમાન ભારત કાર્ડ, યુ.ડિ.આઈ.ડી. કાર્ડ તથા દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓના ફોર્મ વિતરણ તથા મંજુરીની કામગીરી સબંધિત વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. કેમ્પમાં પાત્રતા ધરાવતા ૩૫૦ થી વધુ લોકોનું ઓનસ્પોટ રજીસ્ટ્રેશન થયુ હતું.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, પ્રાંત અધિકારી શ્રી રાજેશભાઈ આલ, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા બહોળી સંખ્યામાં દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button