GUJARATJETPURRAJKOT

Rajkot: ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’અંતર્ગત બેડી(વા.)મા લોકકલ્યાણકારી યોજનાઓના લાભો વિતરિત કરાયા

તા.૨/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સિકલસેલ એનીમિયા અને ટી. બી.સ્ક્રીનીગ કરાયું

Rajkot: રાજકોટ તાલુકાના બેડી(વા.) ગામના લોકોને વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના ઘર આંગણે લાભ આપવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ-૧ બેડી આવી પહોંચતા લોકો દ્વારા તેનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું સાથે વિવિધ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, પી.એમ.ઉજજવલા તેમજ અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે આરોગ્ય કેમ્પ યોજાયો હતો જેમાં સામાન્ય આરોગ્ય તપાસ સાથે જ સિકલ સેલ એનિમિયા તેમજ ટી.બી.નું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. સરકારશ્રીની આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવનાર લાભાર્થી શ્રી અમરશીભાઈ ચંદ્રાલાએ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અંગે પોતાની કહાની રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ડ્રોન પ્રદર્શન તેમજ ‘ધરતી કહે પુકાર કે’ પ્રદર્શન યોજાયું હતું.

ઉલ્લેખનીય છે કે, આ ગામમાં ૧૦૦ ટકા આયુષ્માન કાર્ડ નીકળ્યા છે તેમજ ગામ પંચાયતમાં જલજીવન મિશન, જનધન યોજના ૧૦૦ ટકા પૂર્ણ થઈ છે. તદુપરાંત ગામનું દરેક ઘર શૌચાલયથી સજજ છે તેમજ હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.

આ કાર્યક્રમમાં વિજયનગરના સરપંચ શ્રી ભીખાલાલ ગઢીયા, હડાળાના સરપંચ શ્રી દિનેશભાઈ કાનાણી, કોઠારીયા સરપંચ શ્રી કિશોરભાઈ વાઢેર, બેડી સરપંચ શ્રી મહેશભાઈ ચંદ્રાલા, તલાટી કમ મંત્રી શ્રી એ.કે.દવે, અગ્રણી શ્રી કરસનભાઈ લીંબાસીયા, સભ્યશ્રી નવીનભાઈ રાજપરા, સંજયભાઈ વટુકિયા,કૃષિ વિકાસ કેન્દ્રના શ્રી તાજપરા, ગ્રામસેવક શ્રી વિરલબેન ભટ્ટ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button