GUJARATJETPURRAJKOT

Rajkot: ‘‘આયુષ્માન’’ એપ પરથી જાતે જ આયુષ્માન કાર્ડ કાઢી શકાશે

તા.૧૬/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

સરકારના આયુષ્યમાન કાર્ડના સો ટકા કવરેજમાં લોકભાગીદારી જરૂરી

Rajkot: ભારત સરકારે ‘‘આયુષ્માન’’ એપ લોંચ કરી છે. જે દેશની કોઇ પણ વ્યકિત પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરીને ‘‘આયુષ્માન કાર્ડ’’ ડાઉનલોડ કરી પોતે અને પોતાના પરિવારને સુરક્ષિત કરી શકે છે. સરકારના આયુષ્માન કાર્ડ કવરેજમાં લોકભાગીદારી નોંધાવવા માટે https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp એપનો ઉપયોગ કરી શકાશે.

આ મોબાઈલ એપથી લાભાર્થીનો ફોટો લેવામાં સરળતા રહેશે. કોમ્પ્યુટરથી અને લેપટોપથી પ્રોસેસ કરવામાં વેબ કેમેરો હોવો જરૂરી છે. કાર્ડ ડાઉનલોડ મરવા માટે લોગ ઇન થવા માટે બે ઓપ્શન આપેલ છે એક beneficiary અને બીજો operator. જ્યાં સુધી દરેકના આઈ.ડી. ન બને ત્યાં સુધી beneficiary સિલેક્ટ કરી ‘‘આયુષ્માન’’ કાર્ડની પ્રોસેસ કરવાની રહેશે.

વેબનું પોર્ટલ નવું હોવાથી ડાઉનલોડ થવામાં ૧૫ થી ૨૦ મિનિટનો સમય લાગવાની શકયતા છે. નવા પોર્ટલ મા family id એટલે રેશન કાર્ડ નંબર સમજવું. કાર્ડ બનાવવાની પ્રોસેસ વખતે જો લાભાર્થીનો આધાર કાર્ડ અને રેશન કાર્ડનો ડેટા જો ૮૦ % સ્કોર મેચ થતો હશે તો તરત જ કાર્ડ બની જશે અને ડાઉનલોડ પણ કરી શકશે. જો ૮૦ ટકા થી સ્કોર ઓછો હશે તો તે કાર્ડ અપ્રુવ થયા બાદ જ ડાઉનલોડ થઇ શકશે. ત્યાં સુધી તે પેન્ડીંગ બતાવશે.

આ એપ પરથી કાર્ડ રીન્યુ નહિ થઇ શકે, જેની સંબંધિત સર્વેને નોંધ લેવા અનુરોધ છે.

[wptube id="1252022"]
Back to top button